વાયુનો વેગ, 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો રહેશે - હવામાન વિભાગ
Live TV
-
વાવાઝોડું વેરાવળ, પોરબંદર, દ્વારકા નજીકથી થશે પસાર, જેથી આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગના એડી.ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ છે..પરંતુ વાવાઝોડાને લઈને સંભવિત ખતરો હજુ ઓછો થયો નથી..વાયુ વાવાઝોડુ બપોર બાદ ગુજરાતના દરિયાકિનારા નજીકથી પસાર થશે.વાયુ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકા નજીકથી થશે પસાર, જેથી આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ..એટલુ જ નહી આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે..વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો આવ્યો છે.ગુજરાતમાં પ્રથમવાર એનડીઆરએફની 51 જેટલી ટીમો સૌરાષ્ટ્રભરમાં રાહત અને બચાવ માટે તૈનાત કરાઈ છે..અત્યાર સુધીમાં કુલ 3 લાખથી લધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે..
