વાયુ વાવાઝોડાને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે યોજી આપાતકાલીન બેઠક
Live TV
-
જિલ્લા વહિવટીતંત્રને તમામ મોરચે સજ્જ રહેવા કર્યો આદેશ
વાયુ વાવાઝોડાના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી જિલ્લા કલેક્ટરો સાથે આપાતકાલીન બેઠક યોજી હતી.મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના 10 કિલોમીટરના વિસ્તારમાં કાચા મકાનો, અર્ધ પાકા , અને પાકા મકાનો ધરાવતા લોકોને ફરજિયાત સલામત સ્થળે ખસેડવા સુચના આપી હતી.આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ ડૉક્ટર જે.એન.સિંહ સહિતના વરીષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
