વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ, પાયલોટ સંજય ચૌહાણનું મોત
Live TV
-
જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ ગયેલુ વાયુ સેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશમાં પાયલોટ સંજય ચૌહાણનું મોત નિપજ્યું હતું.
જગુઆર ફાઈટર પ્લેન અચાનક તૂટી પડતા મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં પડ્યું હતું. વિમાન તૂટી પડતાં 10થી વધુ ગાયોના મોત થયા જ્યારે 5 ગાયોને ઇજા થઇ છે. એર કમાન્ડર સંજય ચૌહાણે પોતાની રોજિંદી ટ્રેઈનિંગના ભાગરૂપે જામનગરથી ઉડાન ભરી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં જગુઆર ફાયટર પ્લેનમાં સવાર એર કમાન્ડરનું નિધન થયું હતું. દૂર્ઘટનાને પગલે એરફોર્સે કોર્ટ ઓફ ઈન્કવારીના આદેશ આપી દીધા છે.
