વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા
Live TV
-
'વાયુ'ની વધુ અસર દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે
વાયુ વાવાઝોડાને પગલે કચ્છના માંડવીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડાને પગલે આજે સાંજ સુધી ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળી રહ્યો છે. જોકે, તંત્ર પણ આ પરિસ્થિતિન પહોંચી વળવા માટે સજ્જ છે. NDRFની અને BSFની એક તેમજ મરીન ટાસ્ક ફોર્સની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 12 કલાકમાં સિસ્ટમ નબળી પડીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને તે પછીના 12 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે. વાવાઝોડું ઇશાંન તરફ વળીને આજ મધરાત સુધીમાં ઉત્તર ગુજરાતના સાગરકાંઠાને પાર કરશે
વાયુ વાવાઝોડું આજે જ્યારે કચ્છના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.ત્યારે તેની વધુ પડતી અસર દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે. દ્વારકાના ગોમતી ઘાટ નજીક દરિયો તોફાની જોવા મળ્યો હતો.
