હડતાળમાં ન જવા નાયબ મુખ્યમંત્રીની ડોક્ટરોને અપીલ
Live TV
-
પશ્ચિમ બંગાળની ઘટના દુ:ખદ છે: નાયબ મુખ્યમંત્રી
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલી હુમલાની ઘટનાને નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતીન પટેલે દુઃખદ ગણાવતા જણાવ્યું કે ગુજરાતના ડોક્ટરોએ આ હડતાળમાં ન જોડાવવું જોઈએ..આજે ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ડોક્ટરોને અપીલ કરી છે કે દર્દીઓના હિતમાં ડોક્ટરોએ હડતાળમાં ન જવુ જોઈએ.. તેમણે ઉમેર્યુ હતું કે રાજયના દર્દીઓને ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે સત્વરે સારવાર મળી રહે તેવી પણ નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે..તમામ ડોક્ટર્સ તથા એસોસિએશનો સહકાર આપીને પોતાની સેવાઓ યથાવત રાખે તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે ગુજરાતના ડોક્ટરો તથા આનુસાંગિક સ્ટાફની જે લાગણીઓ છે, તે કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પણ રાજ્ય સરકાર અચૂક પહોંચાડશે.
