વિદ્યાનગરમાં પણ તૈયાર કરાઈ રહી છે સરદાર પટેલની પ્રતિમા
Live TV
-
શિલ્પ કળામાં પારંગત એવા વિદ્યાનગરના ફાઇન આર્ટસના પ્રિન્સિપાલ મમતાબેન પટેલ પણ સરદાર પટેલની છેલ્લા પાંચ મહિનાથી તેમની ટીમ સાથે મળીને પ્રતિમા તૈયાર કરી રહ્યાં છે.
નર્મદા કિનારે દેશના લોહ પુરૂષ એવા સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું અનાવરણ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું છે ત્યારે વિદ્યાનગરના ફાઇન આર્ટસના પ્રિન્સિપાલ મમતાબેન પટેલ પણ સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરી રહ્યાં છે. તેઓ શિલ્પ કળામાં પારંગત છે. છેલ્લા પાંચ મહિનાથી તેમની ટીમ સાથે મમતાબેન આ કાર્ય કરી રહ્યાં છે. પ્રિન્સિપાલ મમતાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા તૈયાર થઈ રહેલી આ પ્રતિમાનું કાર્ય પણ હવે પૂર્ણતાના આરે છે. જેનું અનાવરણ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. સરદાર પ્રેમી મમતાબેન પટેલે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ માટે પણ ખુશી વ્યક્ત કરી હતી.
