વિધાનસભાની પેટાચૂંટણી: આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી પ્રચાર કર્યો શરૂ
Live TV
-
વિધાનસભાની પેટાચૂંટણીને લઈને આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે કચ્છના નલિયામાં એક જાહેર સભા સંબોધી હતી. આ જાહેરસભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય અને દેશમાંથી કોરોના નાબુદ થાય તેવી માં આશાપુરા પાસે પાર્થના પણ કરી હતી. ઉપરાંત લોકોને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ રાજ્ય અને ભાજપ સરકારની ઉપલબ્ધી વર્ણવી હતી. જ્યારે ફી મુદ્દે અને ખેડૂતલક્ષી યોજનાઓ સહિત અન્ય મુદ્દે કોંગ્રેસ દ્વારા ખોટી રીતે મચાવાતી કાગારોળની ટીકા પણ કરી હતી.
