વિશ્વ આદિવાસી દિનની રાજયકક્ષા સ્તરે નિઝર ખાતે ઉજવણી
Live TV
-
રાજ્ય સરકાર દ્રારા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની રાજયકક્ષા સ્તરે નિઝર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
રાજ્ય સરકાર દ્રારા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની રાજયકક્ષા સ્તરે નિઝર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. આદિવાસી દિનની ઉજવણીના અવસરે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દરમિયાન, રૂ.50 કરોડથી પણ વધુના લાભોનું વિતરણ કરવામાં આવશે. વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના રંગારંગ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પદાધિકારીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સુચારુ અને સુંદર રીતે સંપન્ન થાય તે માટે, રાજયના આદિજાતિ વિકાસન મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લા અધિકારી અને પદાધિકારીઓને વ્યવસ્થિત આયોજનનું સંકલન કરવા માટે અનુરોધ કર્યો છે.
