સભાસદ ન હોય તેવા દૂધઉત્પાદકો પણ મંડળીમાં દૂધ ભરાવી શકશે : CM
Live TV
-
રાજ્ય સરકારે પશુપાલકો માટે લીધો મહત્વનો નિર્ણય
નાના દૂધ ઉત્પાદકો જો કોઇ દૂધ મંડળીના સભાસદ ન હોય તો પણ હાલની સ્થિતીમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે. અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજુરો-શ્રમિકોને પણ તેમના માલિક-ઊદ્યોગ-વેપાર-સંચાલકો લોકડાઉન સમય દરમિયાન છૂટા નહિ કરી શકે તેમજ વેતન પણ કાપી ન શકે તેવું સુનિશ્ચિત કરવાની તાકીદ સંબંધિત કલેકટરોને કરી છે. આગામી તા. 4 થી એપ્રિલથી અન્નબ્રહ્મ યોજના અન્વયે આવું અનાજ એવા લાભાર્થી જેઓ અત્યંત ગરીબ, નિરાધાર અને કુટુંબ વિહોણા છે તેમજ અન્ય પ્રદેશ પ્રાંતમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા છે અને રેશનકાર્ડ ધરાવતા નથી તેમને વિતરણ કરવાનું શરૂ થવાનું છે.
