સરકાર પાસે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યાના પુરતા પુરાવા છે - રક્ષામંત્રી
Live TV
-
વડોદરાની મુલાકાતે આવેલા રક્ષામંત્રીએ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપી હાજરી
બાલકોટમાં થયેલ એર સ્ટ્રાઇક ઉપર અમેરિકી મીડિયા રીપોર્ટને રક્ષામંત્રી નિર્મલા સીતા રમણે ફગાવ્યો છે. ભાજપના સ્થાપના દિવસના અવસરે કેન્દ્રિય રક્ષા મંત્રી નિર્મળા સીતારમણે વડોદરાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પાસે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યાના પુરતા પુરાવા છે. નિર્મલા સીતા રમણે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા લગાતાર આતંકવાદી હુમલા સામે કાર્યવાહી નહીં કરાતા ભારત તરફથી એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી
