CMના હસ્તે નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન
Live TV
-
મુખ્યમંત્રીએ મહાગઠબંધન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ સુરતમાં આવેલા સોસ્યો સર્કલ ખાતે નવસારી ના લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જનસભા સંબોધી હતી. જેમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્પષ્ટ નેતૃત્વ વિશે વાત કરી હતી. તો સાથે જ મહાગઠબંધન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા



