સરદારની પ્રતિમાથી રાષ્ટ્રને સમગ્ર દુનિયામાં ગૌરવ મળ્યુ: નાયબ મુખ્યમંત્રી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટ પ્રતિમાને લઇને કરવામાં આવેલા વિરોધનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર જવા ઐતિહાસિક નેતાઓને ભુલાવી દેવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. નીતિન પટેલેઆ પ્રેસમાં જણાવ્યું હતું કે, આ મહાન પ્રસંગને આનંદ વ્યક્ત કરવાને બદલે રાજકીય પક્ષો અને તેમના નેતા પ્રતિમાનો વિરોધ કરી રહ્યા છે. જે કામ કોંગ્રેસના નેતા નથી કરી શક્યા તે કામ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે. આ પ્રતિમાથી રાજ્ય અને રાષ્ટ્રને સમગ્ર દુનિયામાં ગૌરવ મળી રહ્યું છે ત્યારે તેના વિરોધ કરવને બદલે તને આવકારવું જોઇએ.
