સુરતના પાંડેસરામાં જર્જરિત ઈમારતોના સ્લેબ પડી જતા લોકોમાં ભયનો માહોલ
Live TV
-
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જીઆઇડીસી ખાતે આવાસમાં વહેલી સવારે જર્જરિત ઈમારતોના સ્લેબ પડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જીઆઇડીસી ખાતે આવાસમાં વહેલી સવારે જર્જરિત ઈમારતોના સ્લેબ પડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધડાકાભેર અવાજ આવતા લોકો પોતાના ઘરથી બહાર આવી ગયા હતા અને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સરકારી આવાસમાં ૨૪ જેટલા બ્લોક છે અને આ તમામ બ્લોક જર્જરિત અવસ્થામાં છે. આશરે ૨૫ વર્ષ જુના આ આવાસના મકાનમાં લોકો પોતાના જીવના જોખમે રહી રહ્યા છે. જો કે પાલિકા દ્વારા વારંવાર નોટિસ ફટકારવામાં આવતા છતાં લોકો પોતાની નબળી આર્થિક સ્થિતને કારણે આવા જર્જરીત ઈમારત માં રહેવા મજબૂર છે.
