IIM અમદાવાદ અને IIT રૂરકીનાં વિદ્યાર્થીઓ દ્વારા નવતર આયોજન માનસિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા
Live TV
-
આજની તણાવભરી જિંદગીમાં માનસિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવાના હેતુથી આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી રૂરકીનાં વિદ્યાર્થીઓ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા મૂડ કાફે નામના આ સ્ટાર્ટ અપમાં માનસિક તનાવભર્યા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેઓ કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે. વ્યક્તિ પોતાના પ્રશ્નો કે સમસ્યાઓને પોતાના સુધી જ સીમિત ન રાખે પણ જરૂર પડે મિત્રો કે યોગ્ય માર્ગદર્શનો પણ સહારો લે તે ખૂબ જરૂરી હોવાનું મૂડકાફેના સંયોજક નિકુલ પટેલે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તનાવભર્યા લોકો માટે નિઃશુલ્ક એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવી છે.
