સુરતના લિંબાયત અને રાંદેર વિસ્તારમાં અશાંત ધારો અમલી
Live TV
-
સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો અમલી બન્યો છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિહં જાડેજાએ જણાવ્યુ કે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. સુરત શહેરના લિંબાયત- રાંદેર વિસ્તાર માટે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
તેમણે ઉમેર્યુ કે હવેથી આ વિસ્તારોમાં મિલકતનું વેચાણ કરતા પહેલા સુરત કલેકટરનીં પૂર્વ મંજૂરી લેવી પડશે. આ નિર્ણયથી આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા મિલકતો પડાવી લેવાની પ્રવૃતિઓ પર અંકુશ આવશે અને નાગરિકોને શાંતિ –સલામતીનો અહેસાસ થશે.
