સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ખાતે શિક્ષકો માટે CPR ટ્રેનિંગ અભિયાનનો હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ
Live TV
-
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને મંત્રી મુકેશ પટેલ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના શાળા - કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક ડોક્ટરની ભૂમિકા અદા કરી શકે છે.
