સુરત ખાતે રંગોળી આર્ટિસ્ટ દ્વારા 17 જેટલી રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી
Live TV
-
પુલવામામાં બનેલી આતંકવાદી ઘટના બાદ સેનાએ શૌર્ય બતાવી પાકિસ્તાન સહિત પીઓકેના 3 આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. સૈન્યના આ પરાક્રમને લોકો પોતપોતાની રીતે બિરદાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે રંગોળી આર્ટિસ્ટ દ્વારા એક-બે નહીં પરંતુ 17 જેટલી રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી છે. જેમાં એર સ્ટ્રાઈક થી લઈ સર્જીકલ સ્ટ્રાઈક સુધીની ઘટના નું ચિત્રણ કરવામાં આવ્યું છે.આ સાથે વિંગ કમાન્ડર અભિનંદન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રધ્વજની પણ રંગોળી બનાવવામાં આવી છે.આ રંગોળી ઓ શહેરીજનો માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે. સુરત ખાતે આશરે છ જેટલા રંગોળી આર્ટિસ્ટ દ્વારા થલસેના વાયુ સેના અને જળ સેનાના પ્રતિકોને પણ રંગોળી માં ઉમેરવામાં આવ્યા છે.
