સુરેન્દ્રનગરમાં આવાસ યોજના થકી 240 આવાસોનું કરાયું વિતરણ
Live TV
-
ગરીબ લોકોને સરકારી આવાસ મળે તે માટે કટિબદ્ધ સરકારે , આવાસોનું કર્રેયું વિતરણ - સુરેન્દ્રનગરમાં આવાસ યોજના થકી , 240 આવાસોનું કરાયું વિતરણ - લાભાર્થીઓએ આવાસ મળતા સરકારનો માન્યો આભાર.
સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી છે. સરકારની રાજીવ આવાસ યોજના થકી 720 મકાન બનાવવામાં આવ્યા હતા જેમાંથી 240 મકાનની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન તેમજ નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, RAY યોજના અંતગર્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે 40 કરોડના ખર્ચે 960 આવાસ બનાવવાનું આયોજન કર્યું હતું. તે પૈકી 720 આવાસ તૈયાર થઈ ગયા છે.
