સૂત્રાપાડામાં નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC)નું લોકાર્પણ
Live TV
-
48 ગામોના ખેડૂતોને, હવે આ એ.પી.એમ.સી.માં ઘર આંગણે પોતાની ખેત પેદાશો વેચવાની તક મળશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ,એ.પી.એમ.સી. નું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા છે. આ નવનિર્મિત એ.પી.એમ.સી. , રાજ્ય સરકારની કિસાન કલ્પવૃક્ષ યોજના ,અને કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની ,કુલ આઠ કરોડ, 62 લાખની સહાયથી નિર્માણ પામી છે. સૂત્રાપાડા તાલુકાના ,48 ગામોના ખેડૂતોને, હવે આ એ.પી.એમ.સી.માં ઘર આંગણે પોતાની ખેત પેદાશો વેચવાની તક મળશે. ,મુખ્યમંત્રી નવનિર્મિત માર્કેટિંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે યોજાનારા, ખેડૂત સંમેલનને પણ ,સંબોધિત કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદીયા તેમજ સાંસદ રાજેશ ચુડાસમા સહિત ,અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતમાં હાલ 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 224 માર્કેટયાર્ડ તેમજ 176 સબયાર્ડ મળી કુલ 400 બજાર સમિતિઓ કાર્યરત છે
