સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા ખાનગી તબીબોને ૨૫૦૦0 જેટલા માસ્ક ફ્રીમાં આપવામાં આવશે : અશ્વિનીકુમાર
Live TV
-
જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પુરી પાડવા માટેની મુદ્દતમાં જરૂર પડે તો વધારો પણ કરાશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિવિનીકુમારે જણાવ્યુ હતુ કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર ગુજકાતમાં લૉકડાઉનનો કડક અમલ થાય તે માટે સુચના આપવામાં આવી છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ખાનગી તબીબો પણ સેવા આપી રહ્યા છે ત્યારે તબીબોને પુરતા પ્રમાણમાં માસ્ક પુરા પાડવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસંધાને સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા ખાનગી તબીબોને પણ ૨૫૦૦0 જેટલા માસ્ક ફ્રીમાં આપવામાં આવશે. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પુરી પાડવા માટેની મુદ્દતમાં જરૂર પડે તો વધારો પણ કરાશે
