સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે વોલ ઓફ યુનિટી પણ આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 31ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ કામમાં લોકોની ભાવના પણ જોડાય તે માટે દેશના હજારો ગામડાઓમાંથી લાવવામાં આવેલી માટીને ભેગી કરીને વોલ ઓફ યુનિટી પણ બનાવવામાં આવી રહી છે. વોલ ઓફ યુનિટીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનાવવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે વોલ ઓફ યુનિટી પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
