સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાતની વધુ એક સિદ્ધિ
Live TV
-
પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકૉનિક પ્લેસ જાહેર
ભારત સરકારના જળશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા રાજ્યના યાત્રાધામ સોમનાથની શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકે પસંદગી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારંભમાં ગુજરાતને એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ સોમનાથ તીર્થને શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક સ્થાનનો દરજ્જો મળતાં સોનાથ યાત્રાધામ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન આપ્યા હતા. એપ્રિલ-2017 થી મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર, પાવાગઢ સહિતના યાત્રાધામોને ચોવીસ કલાક સ્વચ્છ અને સુઘડ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
