સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી યોગ એવોર્ડથી નવાજવામાં આવ્યા
Live TV
-
આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે, 79 નોમિનેશન પૈકી વિવિધ કક્ષા માટે એવોર્ડ વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતને ફાળે એક એવોર્ડ આવ્યો છે. સ્વામી રાજર્ષિ મુનિને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મુનિએ 1993માં લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશીપ ઓનલાઈન મિશનની સ્થાપના કરી હતી.
આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપદ યશો નાઈકે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ કરવા આવેલી મેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 માટે ઈટાલીના યોગ શિક્ષક એન્ટોનિટ્ટા રોઝી, જાપાનના યોગ નિકેતન કેન્દ્ર, ગુજરાતના સ્વામી રાજર્ષિ મુનિ ઓફ લાઈફ મિશન અને બિહારની મુંગેર ખાતેની સ્કૂલ ઓફ યોગાને પ્રધાનમંત્રી યોગ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે, 79 નોમિનેશન પૈકી વિવિધ કક્ષા માટે એવોર્ડ વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતને ફાળે એક એવોર્ડ આવ્યો છે. સ્વામી રાજર્ષિ મુનિને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મુનિએ 1993માં લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશીપ ઓનલાઈન મિશનની સ્થાપના કરી હતી. યોગ પ્રસાર અને માનવ સેવામાં આ સંસ્થાનું મોટું પ્રદાન છે. વિજેતાઓને ટ્રોફી, પ્રશસ્તી પત્ર અને રૂપિયા 25 લાખના રોકડ ઈનામીથી નવાજમાં આવશે.
