હનુમાન જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી ગુજરાતમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Live TV
-
હનુમાન જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી ગુજરાતમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું વીડીયો કોન્ફરન્સીંગથી અનાવરણ કરશે
આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબીમાં હનુમાનજી મહારાજની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી અનાવરણ કરશે.દેશની ચારેય દિશામાં હનુમાનજીની ચાર પ્રતિમાઓ સ્થાપિત કરવાની “હનુમાનજી ચાર ધામ પરિયોજના”ના ભાગરૂપે આ બીજી પ્રતિમા ગુજરાતમાં સ્થાપવામાં આવી છે. મોરબીમાં બાપુ કેશવાનંદજી આશ્રમમાં આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અગાઉ પહેલી પ્રતિમા 2010માં શિમલામાં સ્થાપવામાં આવી હતી. જયારે દક્ષિણમાં રામેશ્વરમાં ત્રીજી પ્રતિમાનું નિર્માણકાર્ય હાલ પ્રગતિમાં છે
