હમીરસર તળાવમાં નાખેલી નર્મદા લાઈન પુન: ચાલુ કરાઈ
Live TV
-
ભૂજના ઐતિહાસિક હમીરસર તળાવને નર્મદા ડેમના પાણીથી ભરવામાં આવશે. કચ્છમાં વરસાદ ન પડતા છેલ્લા ત્રણ વર્ષથી હમીરસર તળાવ ખાલીખમ હતું. હાલમાં જ્યારે ભારે વરસાદથી નર્મદાનો ડેમ ભરાયો છે ત્યારે લોકોની લાગણી હતી કે, ડેમના પાણીથી તળાવ ભરવા માટે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત અંગે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું. જે અંગે વર્ષ 2002 - 03 માં હમીરસર તળાવમાં નર્મદાની લાઇન નાખવામાં આવી અને તેને પુન: ચાલુ કરીને પાણી છોડાયું છે. જેથી બે દિવસમાં તળાવમાં પાણી ભરાઈ જશે. જેના કારણે તળાવમાં રહેલી માછલીઓને પણ જીવતદાન મળશે. તંત્ર દ્વારા તળાવને છલોછલ નહિ પણ પૂરતા પાણીથી ભરવામાં આવશે.
