હવેથી, રજીસ્ટ્રેશન બાદ ખેડૂત માર્કેટ યાર્ડમાં આવીને નિયમ મુજબ પાકનું વેચાણ કરી શકશે
Live TV
-
આ નિયમ રાજ્યની તમામ APMCમાં અમલમાં લાવવામાં આવશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતીકાલથી તમામ માર્કેટ યાર્ડમાં જિલ્લા પ્રમાણે સમિતિ બનાવવામાં આવશે.ખેડૂતોએ પોતાનો પાક જમા કરાવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બાદમાં તેમને તારીખ આપવામાં આવશે. જેથી તારીખ મુજબ ખેડૂત માલ લઇને યાર્ડમાં આવી શકશે. જેમાં ઘઉ, ચણા, રાયડો વગેરેની ખરીદી વેચાણના દિવસો પણ નક્કી કરવામાં આવશે. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાસ સુચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતીકાલથી તમામ માર્કેટ યાર્ડમાં જિલ્લા પ્રમાણે સમિતિ બનાવવામાં આવશે. ખેડૂતોએ પોતાનો પાક જમા કરાવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બાદમાં તેમને તારીખ આપવામાં આવશે. જેથી તારીખ મુજબ ખેડૂત માલ લઇને યાર્ડમાં આવી શકશે. જેમાં ઘઉ, ચણા, રાયડો વગેરેની ખરીદી વેચાણના દિવસો પણ નક્કી કરવામાં આવશે. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાસ સુચના આપવામાં આવી છે.
