હવેથી રોજ સાંજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિ કોરોનાના આંકડા કરશે જાહેર
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા રોજે રોજ સવારે અને સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. જેમાં કોરોનાને લગતી માહિતી આપવામાં આવે છે. પરંતુ હવે તેમાં એક પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે રોજ માત્ર સાંજે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જંયતિ રવિ કોરોનાના આંકડા જાહેર કરશે. સવારે માત્ર કોરોના સાથે જોડાયેલી વિવિધ માહિતી આપશે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં મૃત્યુ પામેલા 67 લોકોમાંથી 60 લોકો ,પહેલાથી જ કોઈને કોઈ બીમારીથી ,પીડાતા હતા. ડાયાબિટિશ કે કોઈ ગંભીર રોગોને કારણે ,રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેના કારણે ,કોરોના ,તે દર્દી પર ,વધારે હાવી થાય છે. તો ટેસ્ટિંગને લઈ માહિતી આપતા ,ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે પહેલા જેટલા જ ટેસ્ટ હાલ કરવામાં આવી રહ્યા છે. તેમાં કોઈ જ પણ પ્રકારનો ,ઘટાડો કરવામાં આવ્યો નથી.
