હિંમતનગરના ચાપલાનારમાં અનોખા લગ્ન યોજાયા
Live TV
-
હિંમતનગરના ચાપલાનારમાં અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં વરરાજા, જાનૈયા, વરઘોડો અને જમણવાર જેવા તમામ રીત રીવાજો પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા. બસ આ અનોખા લગ્ન થયા હતા કન્યા વગર, જી હા લગ્ન હતા પણ કન્યા ન હતી. વાત એવી છે કે, હિંમતનગર ચાપલાનારમાં રહેતો અજય બારોટ બાળપણથી મંદબુદ્ધિનો છે. એક વખત અજયે પરિવારજનો સમક્ષ લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી. મંદબુદ્ધિના બાળકની ઇચ્છા પુરી કરવા માટે પરિવારજનોએ લગ્નની તૈયારી કરી હતી. જેમાં તમામ રીતિ રીવાજનું પાલન કરવામાં આવ્યું હતું. આ અનોખા લગ્નમાં અજયની ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ તો, વરઘોડિયા સાથે જાનૈયા પણ મન મુકિને ઝુમ્યા હતા.
