હિંમતનગર બાર એસોસિયેશન દ્વારા આરોપીનો કેસ ન લડવા પરિપત્ર
Live TV
-
સાબરકાંઠાના ગાભોઇ પાસે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની માંગણી થઈ રહી છે તેમજ આરોપીએ કરેલા અમાનુષી કાર્ય સામે ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બાર એસોસિયેશન દ્વારા આરોપીનો કેસ કોઈ પણ વકીલ નહીં લડે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હિંમતનગર બાર એસોસિયેશનના 400થી વધુ વકીલોએ સંગઠિત થઈને એકમત થઈ આ ઠરાવ પસાર કર્યો હતો.
