143મી રથયાત્રાની તૈયારીઓ, રથના રંગ રોગાનનું ચાલી રહ્યું છે કામ
Live TV
-
આ વર્ષે 30 ખલાસી ભાઈઓ રથને ખેંચશે. સ્વયં સેવકો માસ્ક પહેરીને કરી રહ્યા છે કામ
અષાઢી બીજે જગતના નાથ ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે રથમાં બેસીને અમદાવાદમાં નગર ચર્યાએ નીકળશે. અમદાવાદ જગન્નાથ મંદિરે ,ભગવાનની નગર ચર્યા માટે તૈયારીઓ થઈ રહી છે. હાલ માં ૧૪૩ મી રથ યાત્રા માટે ભગવાનના રથનું રંગ રોગાન કામ ચાલી રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા યોજાવાની છે તેવામાં સેવકો ,માસ્ક પહેરીને રથનું સમારકામ કરી રહ્યા છે. આ વર્ષે એક રથને ૩૦ જેટલા ખલાસી ભાઇઓ ખેંચવાના છે. ભગવાન નગર ચર્યાના દર્શન કરવા આવતા ભક્તોને ઉપરણાની પ્રસાદી આપવામાં આવતી હોય છે.
