20 એપ્રિલથી રાજ્યના અમુક ભાગોમાં તબક્કા વાર શરુ કરવામાં આવશે ઉદ્યોગો : મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમાર
Live TV
-
શહેરી વિસ્તારમાં ,બાંધકામની પ્રવૃતિને પણ ,શરુ કરવા અપાશે મંજુરી. ગ્રામ્ય વિસ્તારમાં, મનરેગાના કામ શરુ કરાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે ,આપી માહિતી
કોરોના વાયરસ સંદર્ભમાં બીજા તબક્કો ૩જી મે સુધી લંબાવવાની સાથે ભારત સરકારે 20મી એપ્રિલથી વાણિજ્યીક અને ઉદ્યોગોને છુટછાટ સાથે શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે અનુસંધાને મુખ્યમંત્રીની અધ્યક્ષામાં મળેલી મીટીંગમાં ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા કક્ષાએ વાણિજ્યીક અને ઉદ્યોગોમાં છુટછાટોના અમલ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી છુટછાટ અંગે નિર્ણય લેશે.સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક ઊદ્યોગો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે ,આ તકેદારીઓ માં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ વાણિજ્યીક એકમોએ ,થર્મલ ગન,ફરજિયાત માસ્ક નો ઉપયોગ. સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસીંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. આમાંની કોઈ પણ વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઇ એકમો બંધ કરાવી દેવાશે. તો ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામોને શરુ કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ હતુ..
