5 થી 11 જૂન દરમ્યાન ઉજવાશે પર્યાવરણ સપ્તાહ
Live TV
-
સરકારી સંસ્થાઓ, ફળિયા-લત્તા, શાળા-આંગણવાડીઓમાં સફાઈ, કચરામાંથી ખાતર બનાવવું, પ્લાસ્ટીક અને કાચનો ઓછો વપરાશ ,તેનો યોગ્ય નિકાલ તથા રિસાયકલીંગનું માર્ગદર્શન આપવામાં આવશે
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્ય સરકારે રાજ્યવ્યાપી પર્યાવરણ જાગૃતિ અને સંવર્ધન માટે 5 થી 11 જૂન દરમ્યાન પર્યાવરણ સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં સરકારી સંસ્થાઓ, ફળિયા-લત્તા, શાળા-આંગણવાડીઓમાં સફાઈ, કચરામાંથી ખાતર બનાવવું, પ્લાસ્ટીક અને કાચનો ઓછો વપરાશ તેનો યોગ્ય નિકાલ તથા રિસાયકલીંગનું માર્ગદર્શન આપવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે સ્વસહાય જૂથો, સ્વૈચ્છિક સંગઠનોનો સહયોગ લેવામાં આવશે તથા પુરસ્કાર આપવાનું આયોજન પણ કરાયું છે.
