551 દીવડાની આરતી પોતાના શરીર પર લઈ કરી મા અંબાની આરાધના
Live TV
-
મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં એક માઈભક્તે માતાજીની 551 દિવડાની આરતી ઉતારી હતી. આણંદ જિલ્લાના લીંગડા ગામના ખેડૂત રોહિત પટેલે ટેક રાખી હતી તેના સંદર્ભમાં 551 દીવડાની આરતી પોતાના શરીર પર લઈ મા અંબાની આરાધના કરે છે.તે નવરાત્રી દરમિયાન અલગ અલગ તીર્થસ્થળોમાં જઈને આ રીતે આરતી કરે છે. સાતમા નોરતે એટલે કે આસો સુદ સાતમે રોહિત પટેલે અંબાજીમાં આરતી કરી હતી.
