629 લોકરક્ષકોનો દિક્ષાંત સમારોહ યોજાયો
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી સમારોહમાં ઉપસ્થિત રહ્યા
ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં હથિયારધારી લોકરક્ષકોની ભરતી કરાઈ હતી. તેમની તાલીમ પૂર્ણ થયા બાદ ગઇકાલે કુલ 629 લોકરક્ષકોનો દિક્ષાંત સમારોહ લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ મેદાન ખાતે યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા. ગૃહ રાજ્ય મંત્રીએ દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત લોકરક્ષકોની પરેડ નિહાળીને તેમણે આપેલી સલામી ઝીલી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું.
