8 નવેમ્બરે દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ, અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર
Live TV
-
આગામી 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે, અને આ ચંદ્ર ગ્રહણથી ધાર્મીક વિધિ, પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેનાર છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણ નાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે, ત્યાર બાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે, અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને સાંજ નાં 06.30 ની આરતી રાત્રીના 9.30 કલાકે કરીને મંદિર મંગળ થશે, ત્યાર બાદ નવ નવેમ્બર થી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તકસુદ પૂર્ણિમાએ દીપ દાનનું વિશેષ મહત્વ છે પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.
