8-14 સપ્ટેમ્બર અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
Live TV
-
અંબાજી આવતા યાત્રીઓની સુરક્ષા માટે તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે.
આગામી આઠમી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ભરાશે. અંબાજી આવતા યાત્રીઓની સુરક્ષા માટે તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. જિલ્લા તોલમાપ અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી ન થાય તેનું ધ્યાન રાખવા કડક સૂચના વેપારીઓને આપવામાં આવી છે. અંબાજીના મેળામાં વેપારીઓ તથા શ્રદ્ધાળુઓની સગવડતા માટે હંગામી ધોરણે જગ્યા પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
