BPL-APL કાર્ડ ધારકોને 2 મહિનાનું રેશન આપવાનો રાજ્ય સરકારે કર્યો નિર્ણય
Live TV
-
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વિડિયો કૉન્ફરન્સ પછી મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે , કોરોના વાઇરસને નિયંત્રણમાં કરવા મહત્ત્વના અનેક નિર્ણયો કર્યા હતા. જેમાં દવા અને ખાદ્ય સામગ્રીનો પૂરતો પૂરવઠો જાળવવા પગલાં લેવાશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે મહિનાનાનું રેશન અપાશે, તેમજ પેન્શન પાત્ર નિરાધાર વૃદ્ધો, વિધવા , અને દિવ્યાંગોને પણ , ઍડવાન્સ પેન્શન મળી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારી કચેરીમાં અધિકારીઓની પરવાનગી બાદ જ , સામાન્ય નાગરિકોને પ્રવેશ મળશે.
