CM રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને ફાળવ્યા વિભાગો
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ, મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે. જેમાં કોંગ્રસમાંથી આવેલા જવાહર ચાવડાને પ્રવાસન અને મતસ્યોદ્યોગ વિભાગના મંત્રી બનાવ્યા છે.
જ્યારે તેમના સાથી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી બનાવ્યા છે. તો, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય મંત્રી વાસણભાઈ આહીરને પ્રવાસન વિભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની નિમણુંક કરી છે. તો, ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્ત કરવામાં આવ્યાં છે.
