CM રૂપાણીએ સુરતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ, શહેરો 'અર્બન ફોરેસ્ટ' થકી બનાવાશે હરિયાળા
Live TV
-
મુખ્યમંત્રીએ ગુજરાતમાં વિકાસની ગતિશીલતા સાથે ,પર્યાવરણની ખેવના કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં કહ્યું હતું ,કે, રાજ્યના શહેરોમાં ,અરબન ફોરેસ્ટ ઉભા કરી હરિયાળા નગરો, મહાનગરો બનાવવા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,સુરતમાં કરોડોનાં નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ, 282 કરોડના ખર્ચે તૈયાર થનારા ઇડબ્લ્યુએસ- 2 ,ના 3951 આવાસના કોમ્પ્યુટરાઈઝ ડ્રો, 175.51 કરોડના નવનિર્મિત આવાસોનું લોકાર્પણ તેમજ 513 કરોડના ખર્ચે નિર્મિત થનાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સુરત મહાનગર પાલિકાને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સુરતમાં પોણા બે લાખ મકાનો ફાળવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝુંપડીઓમાં રહેનારાઓ માટે મકાનમાં રહેવાનું સપનું સાકાર થયું છે.
