CM રૂપાણીએ 98 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી શરૂ કરવાનો કર્યો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, તેમાં માત્ર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઈન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે. જેની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આપી હતી.
ઉપરાંત તેમણે માહિતી આપી હતી કે, 66 લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુંબો અને એનએફએસએ લાભાર્થી પરિવારોને આજથી વિનામૂલ્યે ઘઉં-ચોખા વિતરણનો પારંભ થશે. 127 માર્કેટયાર્ડ બજારમાં ૪ લાખ ૪ર હજાર કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા હતા.
