CM વિજય રૂપાણીનું એક ડગલું સ્વચ્છતા તરફ, સફાઈ કર્મીઓ સાથે સંવાદ
Live TV
-
પર્યાવરણ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રીએ આણંદની બોરસદ ચોકડી પાસે કાંસની સફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું.અને સફાઈ કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી સ્વયં લોટિયા તળાવ ખાતે સફાઈ કરી શ્રમદાન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે જળસંચય અભિયાન અંતર્ગત 18 હજારથી વધુ તળાવો ઉંડા કરવાની સાથે નદી કાંસ કેનાલોની સફાઈ કરી નદીઓને પુનઃજીવિત કરી છે.તેથી તેમાં કચરો નાંખી ગંદકી ન ફેલાય તે માટે સરકાર પર્યાવરણ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.મુખ્યમંત્રીએ શહેર નગરોમાં બહાર કચરો બહાર ફેંકનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો પણ સંકેત આપ્યો હતો.
