NRE ના ચેરમેન અરુણકુમાર દ્વારા લિખિત સેલ્ફી વીથ ઇન્ટિગ્રિટી પુસ્તકનું કરવામાં આવ્યું વિમોચન
Live TV
-
ગુજરાતી સાહિત્ય મહોત્સવએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત સૌથી મોટો સાહિત્યિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સાહિત્યકારો અને યુવા લેખકોને એક મંચ પર લાવે છે. ગુજરાતી સાહિત્ય મહોત્સવમાં યોજાતા વિવિધ સત્રોના વિષયો ક્લાસીકલ સાહિત્યથી લઈને યુવા લેખકો દ્વારા કરતા નવા યુગના પ્રયોગો સુધીના છે. વાંચન અને લેખનને પ્રોત્સાહન ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જનને વેગ મળે એ GLFનું મુખ્ય ધ્યેય છે. ત્યારે ગઈકાલે ગુજરાત NRE ના ચેરમેન અરુણકુમાર દ્વારા લિખિત 'સેલ્ફી વીથ ઇન્ટિગ્રિટી' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અરુણકુમાર એકાઉન્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્ છે. તેમણે આ પુસ્તકમાં પોતાની બાળપણની વાતો તેમજ અન્ય માધ્યમોમાં લખેલા અનેક લેખોનો પણ આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. આ પ્રસંગે નિવૃત આઈ.એ.એસ પી કે લહેરી ઉપસ્થિત રહ્યા હતા.
