PIB અમદાવાદના કાર્યાલય ખાતે વિશ્વ યોગ દિન ઉજવાયો
Live TV
-
અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલય દ્વારા યોગનો કાર્યક્રમ યોજાયો હતો. PBIના એડિશનલ ડાયરેક્ટર રિઝનલ ડૉ. ધીરજ કાકડિયા અને પ્રસિદ્ધ લોકગાયક અરવિંદ વેગડાએ દિપ પ્રાગટ્ય કરીને યોગની શરૂઆત કરાઈ હતી.
આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગમય બન્યું છે. ત્યારે અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલય દ્વારા યોગનો કાર્યક્રમ યોજાયો હતો. PBIના એડિશનલ ડાયરેક્ટર રિઝનલ ડૉ. ધીરજ કાકડિયા અને પ્રસિદ્ધ લોકગાયક અરવિંદ વેગડાએ દિપ પ્રાગટ્ય કરીને યોગની શરૂઆત કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા. પ્રાણાયામ, ભ્રામરી, કપાલભાતિ, વજ્રાસન, તાડાસન, કરીને તાજગી અને સ્ફૂર્તિ અનુભવી હતી. ભારતીય યોગ સંસ્થાનના નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.
