SSIP વાર્ષિક બે દિવસીય પરિસંવાદ કાર્યક્રમનો શુભારંભ શિક્ષણમંત્રીએ કરાવ્યો
Live TV
-
આ પરિસંવાદમાં રાજ્યનાં મુખ્ય સચિવ જે. એન. સિંઘ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, ટેકનિકલ શિક્ષણ કમિશનર અવંતિકા સિંઘ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા.
વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન, સ્ટાર્ટઅપ્સ અને ઈકો સિસ્ટમ પર SSIP વાર્ષિક બે દિવસીય પરિસંવાદનું ઈડીઆઇ- ભાટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ આ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે ઇનોવેશનને ઔદ્યોગિક ક્ષેત્ર પુરતુ સીમિત ન રાખવું જોઈએ.
સમાજમાં રહેલી અનેક સમસ્યાઓનાં સુખદ ઉકેલની દિશામાં પણ , ઇનોવેશનનું કાર્ય થવું જોઈએ. મહત્વનું છે કે આ પરિસંવાદમાં સમગ્ર દેશમાંથી 155 સ્ટાર્ટઅપ્સ અને 118 યુવાન સંશોધકો સાથે 18 સંસ્થાઓ, 9 યુનિવર્સિટીઓ અને 79 સેન્ટર ભાગ લેશે.
