અફઘાનિસ્તાન: મસ્જિદમાં વિસ્ફોટ થતાં 37 લોકોનાં મૃત્યુ
Live TV
-
અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં જુમ્માની નમાઝ દરમિયાન એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થતાં 37 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 70 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. 3 આત્મઘાતી હુમલાખોરો દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. એક હુમલાખોરે મસ્જિદના મુખ્ય દ્વાર પર અને અન્ય 2 આત્મઘાતી હુમલાખોરોએ ઈમારતની અંદર જઇને પોતાને બોમ્બથી ઉડાવી દીધા હતા. આ ઘટના બાદ તાલિબાનોના વિશેષ સુરક્ષાદળો દ્વારા સ્થળને ઘેરી લેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોની મદદ માટે લોકોને રક્તદાન કરવા અપીલ પણ કરવામાં હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સમગ્ર ઘટનાની કડક શબ્દોમાં નીંદા કરી હતી.
