અબુધાબીમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો-2019 નો આરંભ
Live TV
-
ભારતને સન્માનિત અતિથિના રૂપમાં આમંત્રણ
અબુધાબી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો-2019 નો આરંભ થઇ ગયો છે. જેમાં ભારતને સન્માનિત અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. સંયુક્ત અરબમાં ભારતીય રાજદૂત નવદીપસિંહ સૂરીએ જણાવ્યું કે ભારતને આ વિશેષ સન્માન બંને દેશોના રાજકીય નેતૃત્વ તેમજ લોકો વચ્ચે મજબૂત સંબંધ અનુલક્ષી આપવામાં આવ્યું છે. જેમાં 30 ભારતીય પ્રકાશન ઉદ્યોગગૃહો ભાગ લઇ રહ્યા છે. આ પુસ્તક મેળામાં સાહિત્ય અને કલા સંસ્કૃતિના સંગમનું અનોખુ પ્રદર્શન યોજાશે.
