ઈસ્ટર પર હુમલા બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિની કડક કાર્યવાહી
Live TV
-
રક્ષા સચિવ અને આઈજી પોલીસને પદ પરથી હટાવ્યા
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઇસ્ટર પર થયેલા ભીષણ બોમ્બ બ્લાસ્ટ પછી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ શિરીસેનાએ સખત પગલાં ભરતાં રક્ષા સચિવ અને આઈજી પોલીસ ને પોતાના પદેથી હટાવી દીધા છે. ધમાકા પછી રાષ્ટ્રપતિ શીરીસેનાએ માન્યું હતું કે, સૂચના હોવા છતાં દેશનું પ્રશાસન આતંકવાદી હુમલાને રોકવા નિષ્ફળ રહ્યું છે.રાષ્ટ્રપતિએ એ વાત ઉપર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે, દેશમાં આતંકવાદી હુમલાની સંભાવનાની મળેલી ગુપ્ત જાણકારી વિશે તેમને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 359 લોકોના મોત થયા છે અને 500 કરતા વધારે ઇજાગ્રસ્ત થયા છે.
