આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ: જાણો કેમ કરવામાં આવે છે ઉજવણી અને ક્યારે થઇ હતી શરૂઆત
Live TV
-
પરિવાર વગરના માનવીની કલ્પના કરવી અધુરી છે. હાલ દુનિયામાં જે સ્થિતિ છે તેવા સમયે પરિવારનું મહત્વ ખૂબ વધી જાય છે. માટે જ 15 મેને વિશ્વ પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજના આધુનિક સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના છાશવારે બને છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ આ દિવસ મનાવવામાં આવે છે. પરિવારની વચ્ચે રહેવાથી માનવી તણાવમુક્ત અને પ્રસન્નચિત્ત રહે છે. સાથે જ એકલતાપણું તથા ડિપ્રેશનનો શિકાર બનતા પણ અટકે છે.
આપને જણાવી દઇએ કે, 1993માં સંયુક્ત રાષ્ટ3 જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદી-જુદી થીમ પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે 2020ની થીમ પરિવાર અને જળવાયુ સંબંધ રાખવામાં આવી છે.
