આતંકવાદ પર પાકિસ્તાને સ્વીકાર્યું સત્ય
Live TV
-
ઇમરાન ખાને માન્યું, 15 વર્ષમાં 40 આતંકવાદી સંગઠન સક્રિય હતા, 30થી 40 હજાર આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઇ અફઘાનિસ્તાન અને કાશ્મીર ગયા
અમેરિકાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાને ખાતને સ્વીકાર્યું કે, પાછલા 15 વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં 40 આતંકવાદી સંગઠન સક્રિય હતા..એટલુ જ નહીં ઇમરાન ખાને પાકિસ્તાનમાં ટ્રેનિંગ મેળવેલા 30થી 40 હજાર આતંકવાદી અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં મોકલવામાં આવ્યા હોવાની વાત પણ માની..આતંકવાદ મામલે એક દાયકાઓથી જુઠ્ઠાણું ફેલાવનાર પાકિસ્તાને અંતે એ વાત સ્વીકારી કે પોતાની જમીન પર આતંકવાદીઓ તૈયાર થાય છે..ઇમરાન ખાને વધુમાં કહ્યું કે, 9/ 11ના હુમલા સાથે પાકિસ્તાનને કંઇ લેવા દેવા નથી..અલ કાયદા અફઘાનિસ્તાનમાં સક્રિય હતું..પણ ખોટી રીતે પાકિસ્તાનને બદનામ કરવામાં આવ્યું..
