આવતીકાલે ૧૦મી ઓગસ્ટે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ
Live TV
-
આવતીકાલ ૧૦ મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ભાવનગર વિસ્તારમાં અત્યારે ૮૫ થી વધુ સિંહ વિચરણ કરે છે ત્યારે જિલ્લાની ૧,૭૫૮ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી ૪,૬૬,૯૬૫ વિદ્યાર્થીઓ દ્વારા 'સિંહ સંરક્ષણ'ની પ્રતિજ્ઞા લેવાશે.
વન્ય પ્રાણી સંરક્ષણ વિભાગના નાયબ વનરક્ષક ડૉ. મોહન રામના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં સિંહ વિચરણ હતું અને તેથી તે જિલ્લાઓને આ સિંહ આંદોલનમાં જોડવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૩ થી સિંહ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે જયારે ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે આ દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો છે
